રવિવાર, 10 જૂન, 2012

                        પ્રાણી જગતનું સત્ય

* એક ઘોડામાં સાત માણસ જેટલી શક્તિ હોય છે.
* કૂતરાનું આયુષ્ય 20 વર્ષનું હોય છે.
* કાંગારુને ખોરાક ચાવીચાવીને ખાતા લગભગ ચાર કલાક લાગે છે.
* ગોકળ ગાય ત્રણ ચાર વર્ષ સુધી ઊંઘી શકે છે.
* બકરીઓની પગની ખરીમાં આવેલી ગાદી જમીન સાથે વૅક્યુમ ઊભું કરી ચોંટી જાય છે. આથી તેઊભા પર્વત ચઢી શકે છે.
* નર ઘોડાને 40 દાંત હોય છે. દાંત પરથી તેની ઉંમરની અટકળ થાય છે.
* હાથી રોજ બસ્સો કિલો ખોરાક અને બસ્સો લિટર પાણી પીએ છે.
* માખીની દરેક આંખમાં ચાર હજાર નાના લૅંસ હોય છે.
* સસલાના આગલા પગ કરતા પાછલા પગ વધુ લાંબા હોય છે.
* કાનડિયા તેમના જીવનનો ઘણો ખરો સમય હવામાં ઊડીને જ પસાર કરે છે. તેઓ ઊડતાં ઊડતાં જ શિકાર કરવાનું અને ખોરાક મેળવવાનું કામ કરે છે.
* ડબલ ડેકર બસ કરતાં જિરાફદોઢ મીટર વધુ ઊચું હોય છે, પણ એની ગરદનમાં માત્ર સાત હાડકાં હોય છે અને સ્વરતંતુ નબળા હોવાથી એનો કંઠ કામણ ગારો નથી.
* એક ઉંદરની જોડી એક વર્ષમાં બે હજાર જેટલાં બચ્ચાઓ જણી શકે છે.
* કેટલા કાચબાનું આયુષ્ય 150 વર્ષનું હોય છે. ગાલાપેગાસ નામના ટાપુઓ પર 230 કિલો વજનના વિરાટ કાચબા જોવા મળે છે.


                            
આજનો સુવિચાર:- કીર્તિ એ એવી તરસ છે જે ક્યારેય છીપાતી નથી.   — પ્રેમચંદ

હિન્દુ કેલેંડરની પૂનમ
આપણા હિન્દુ કલેંડરની દરેક પૂનમ શ્રેષ્ઠ ગણાય છે.
લોક વાયકા મુજબ રાજા રણછોડ પૂનમે હજરા હજૂર દેખાય છે. પૂનમે લાખો લોકો ચાલીને ડાકોરના રાજા રણછોડના દર્શનાર્થે જાય છે.
કારતકી પૂનમ [દેવદિવાળી] :- દેવોની દિવાળી તેમજ તુલસી વિવાહ
માગશર પૂર્ણિમા:- દત્ત જયંતિ તેમજ વ્રતની પૂનમ ગણાય છે.
પોષી પૂનમ:- શાકંભરી પૂનમ, માઘી સ્નાનપ્રારંભ
મહા પૂર્ણિમા:- વ્રતનો શ્રેષ્ઠ દિવસ.
ફાગણ પૂનમ:- હોળી
ચૈત્રી પૂનમ:- હનુમાન જયંતી
વૈશાખી પૂનમ:- બુદ્ધ પૂર્ણિમા
જેઠ પૂનમ:- વટ સાવિત્રી
અષાઠી પૂનમ:- ગુરુ પૂર્ણિમા
શ્રાવણી પૂનમ:- રક્ષાબંધન, ભાઈ બહેનના પવિત્ર બંધનનો દિવસ
ભાદરવા પૂનમ:- શ્રાદ્ધનો પ્રથમ દિવસ, શ્રાદ્ધની શરુઆત
આસો પૂનમ:- શરદ પૂનમ



                                                
       ઝલક – સૃષ્ટિ

જગતના મહાન ચિંતકોના વિચારપ્રેરક અવતરણો
*    જેનો જવાબ નથી હોતો એ જ તો પ્રાર્થનાનો ઉત્તર છે.
                                                                                                         — સી.એચ. સિસોન
*    ત્રણ વાનાં મુજને મળ્યાં. હૈયું, મસ્તક, હાથ બહુ દઈ દીધું નાથ ! જા, ચોથું નથી માંગવું.
                                                                                                       — ઉમાશંકર જોશી
*    કોઈનો સ્નેહ ક્યારે ય ઓછો નથી હોતો, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.
                                                                                                     — હરીન્દ્ર દવે
*    ગમે ના શૈશવે ખેલ, યૌવને ના પરાક્રમ, સાધુતા નહીં વાર્ધ્ય્ક્યે, વ્યર્થ તો જિંદગીક્રમ
                                                                                                        — ઉશનસ
*    જે મનુષ્યો ઓછું વિચારે છે, તેઓ ઘણું ઘણું બોલે છે. પન જેઓ બરાબર વિચારે છે, તેઓ ઓછું બોલે છે.
*    પ્રશ્નોનો ઉકેલ એ જિંદગી નથી પણ વાસ્તવિકતાનો અનુભવ એ જિંદગી છે.
                                                                                                                — ઓરેન કિર્કગાર્ડ
*    સુખ તો સ્વર્ગનું પંખી છે, એ એના જ હાથમાં ઉતરી આવે છે, જે એને મુઠ્ઠીમાં ભીંસવાના નથી.                                                                                                     — જહોન બેરી
*    જ્યાં શંકા હોય છે ત્યાં હું શ્રદ્ધા લાવીશ.                                       — અનામી
*    પ્રાર્થના ઈશ્વરને બદલતી નથી, પણ જે પ્રાર્થે છે એ માણસને બદલે છે.
                                                                                                             — સોરેન કિકગાર્ડ
*    માણસની અંદર એક એવું સ્થળ હોય છે, જ્યાં એ એકલો જીવે છે અને ત્યાંથી જ એ નવેસરથી ઝરણું જગાડે છે, જે કદી સુકાતું નથી.                         
                                                                                                                  — પર્લ બક
*    રાજા હોય કે રંક હોય – સૌથી નસીબદાર માણસ એ છે કે જેને પોતાનું કલ્યાણમય ઘર હોય.
                                                                                                                  — ગ્યુઈશ
*    જ્યારે કેક કરતાં મીણબત્તીનો ખર્ચો વધારે આવે ત્યારે સમજવું કે વૃદ્ધ થતાં જાવ છો.
                                                                                                                  — એડગર શોફ