ઝલક – સૃષ્ટિ
જગતના મહાન ચિંતકોના વિચારપ્રેરક અવતરણો
* જેનો જવાબ નથી હોતો એ જ તો પ્રાર્થનાનો ઉત્તર છે.
— સી.એચ. સિસોન
— સી.એચ. સિસોન
* ત્રણ વાનાં મુજને મળ્યાં. હૈયું, મસ્તક, હાથ બહુ દઈ દીધું નાથ ! જા, ચોથું નથી માંગવું.
— ઉમાશંકર જોશી
— ઉમાશંકર જોશી
* કોઈનો સ્નેહ ક્યારે ય ઓછો નથી હોતો, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.
— હરીન્દ્ર દવે
— હરીન્દ્ર દવે
* ગમે ના શૈશવે ખેલ, યૌવને ના પરાક્રમ, સાધુતા નહીં વાર્ધ્ય્ક્યે, વ્યર્થ તો જિંદગીક્રમ
— ઉશનસ
— ઉશનસ
* જે મનુષ્યો ઓછું વિચારે છે, તેઓ ઘણું ઘણું બોલે છે. પન જેઓ બરાબર વિચારે છે, તેઓ ઓછું બોલે છે.
* પ્રશ્નોનો ઉકેલ એ જિંદગી નથી પણ વાસ્તવિકતાનો અનુભવ એ જિંદગી છે.
— ઓરેન કિર્કગાર્ડ
— ઓરેન કિર્કગાર્ડ
* સુખ તો સ્વર્ગનું પંખી છે, એ એના જ હાથમાં ઉતરી આવે છે, જે એને મુઠ્ઠીમાં ભીંસવાના નથી. — જહોન બેરી
* જ્યાં શંકા હોય છે ત્યાં હું શ્રદ્ધા લાવીશ. — અનામી
* પ્રાર્થના ઈશ્વરને બદલતી નથી, પણ જે પ્રાર્થે છે એ માણસને બદલે છે.
— સોરેન કિકગાર્ડ
— સોરેન કિકગાર્ડ
* માણસની અંદર એક એવું સ્થળ હોય છે, જ્યાં એ એકલો જીવે છે અને ત્યાંથી જ એ નવેસરથી ઝરણું જગાડે છે, જે કદી સુકાતું નથી.
— પર્લ બક
— પર્લ બક
* રાજા હોય કે રંક હોય – સૌથી નસીબદાર માણસ એ છે કે જેને પોતાનું કલ્યાણમય ઘર હોય.
— ગ્યુઈશ
— ગ્યુઈશ
* જ્યારે કેક કરતાં મીણબત્તીનો ખર્ચો વધારે આવે ત્યારે સમજવું કે વૃદ્ધ થતાં જાવ છો.
— એડગર શોફ
— એડગર શોફ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો